નવી દિલ્હી: કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે (Mani Shankar Iyer)  ફરીથી પોતાનું મોઢું ખોલ્યું અને વાણીવિલાસ કર્યો. સતત વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા ઐય્યરે આ વખતે કાશ્મીર અને કલમ 370 (Article 370) ને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેઓ કેરળના મલ્લપુરમમાં એક જનસભાને સંબોધી રહ્યાં હતાં. તેમણે કેન્દ્ર સરકારને દેશદ્રોહી અને મંત્રીઓને કાયર તથા ડરપોક ગણાવી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઐય્યર કેન્દ્ર સરકારની તે રણનીતિનો વિરોધ કરી રહ્યાં હતાં જે હેઠળ 36 મંત્રીઓને જમ્મુ કાશ્મીર મોકલીને ત્યાંના લોકોને કેન્દ્રની યોજના માટે જાગરૂક કરવાની વાત કરવામાં આવી હતી. તેમણે સરકાર દ્વારા કાશ્મીરમાં 36 મંત્રીઓ મોકલવાના નિર્ણયની ટીકા કરી અને તેમને ડરપોક ગણાવ્યાં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...